Saturday June 21, 2025

હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન(19272)ના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઈને દોડતી ઉપરોક્ત ટ્રેનના બદલાયેલા સમયનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:


05.02.2025 થી, હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 08.54/08.55 કલાકને બદલે 08.39/08.40 કલાક,

લીમ્બડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 09.15/09.16 કલાકને બદલે 09.00/09.01 કલાક, બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.00/10.15 કલાકને બદલે 09.40/09.45 કલાક,

ધોલા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.48/10.49 કલાકને બદલે 10.20/10.22 કલાક, .

સિહોર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.15/11.16 કલાકને બદલે 10.43/10.44 કલાક.

અને ભાવનગર પરા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.35/11.36 કલાકને બદલે 10.53/10.54 કલાકનો રહેશે.

આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશને 12.25 કલાકને બદલે 12.00 કલાકે પહોંચશે એટલે કે આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારિત સમયથી 25 મિનિટ પહેલા ભાવનગર ટર્મિનસ સ્ટેશને પહોંચશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચશે.


મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખો. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ)એ એક અખબાર યાદી માં જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top