
ભાવનગર
તારીખ ૧૧-૦૩-૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને ભાવનગર- બોટાદના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ સંગઠનની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભાના પ્રભારી શ્રી નિતાબેન મોદી તેમજ આમ આદમી પાર્ટીના દર્પણભાઈ ડાંખરા, દીજેનભાઇ શાહ, ભાર્ગવભાઈ ગાંધી, અનિરુદ્ધસિંહ, દિગ્વિજયસિંહ, પ્રિન્સ મકવાણા તેમજ આમ આદમી પાર્ટીના અન્ય ઉચ્ચ હોદ્દેદારો, તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ કેસરિયો ધારણ કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે તમામ લોકોને આવકારતા જણાવ્યુ હતું કે, આપ સહુ જ્યારે મોદી પરિવાર, ભાજપ પરિવારમાં જોડાયા છો, ત્યારે આપ સહુને અમારા તરફથી પૂરતો આદર અને સહકાર મળશે, જ્યારે સાંસદ શ્રી ભારતીબેને આપ સહુ દૂધમાં સાકરની જેમ ભળી રહેશો તેવી આશા વ્યક્ત કરેલ, અંતમાં પૂર્વ મહામંત્રીશ્રી રાજુભાઇ બાંભણીયાએ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારની યાદી જણાવે છે.

