ભયજનક જળાશયોમાં નહાવા તથા ભીડ કરવા પર પ્રતિબંધ

રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી…

Read More

સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ

રાજકોટરાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ કેટલાક આદેશો કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો…

Read More

ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્‍તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્‍કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્‍હા આચરતા હોય છે, તેમની…

Read More

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

રાજકોટ ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો…

Read More

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના…

Read More

રાજકોટમાં ખાનગી બોરવેલની તમામ બાબતો લોકોએ પોલીસ સમક્ષ જાહેર કરવી પડશે

રાજકોટખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના આદેશો તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જારી કર્યા છે.જે અનુસાર જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા…

Read More

પોરબંદરમાં સ્વીડનથી આવેલ એનઆરઆઈનો 70 હજારનો ફોન ગણતરીની કલાકોમાં શોધી આપતી પોલીસ

પોરબંદરપોરબંદરની મુલાકાતે આવેલા એનઆરઆઈ પારુલબેન ઇશ્ર્વરભાઇ મેણંદભાઇ સીસોદીયા (ઉ.વ ૫૧, રહે. સ્વીડન)તેમના પતિ ઇશ્ર્વરભાઇનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦,૦૦૦/- નો કમલાબાગ બેંક ઓફ બરોડા થી જ્યુબેલી જનકપુરી સોસાયટી સુધી રીક્ષામાં બેસી જતી વખતે રીક્ષામાં જ પડી ગયેલ હોય જેથી નેત્રમ- કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદરનો સંપર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ પીએસઆઇ આર.ડી.ચૌહાણની સુચના મુજબ નેત્રમ શાખા સ્ટાફ…

Read More

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટરાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર…

Read More

રાજકોટની અપહૃત તરૂણીની ભાળ આપવા પોલીસની જાહેર અપીલ

રાજકોટરાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Read More

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી…

Read More