Friday June 20, 2025

ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી

ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી

અમિત શાહે ફોન કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યસભાની ટિકિટ તેમને આપવાનું પસંદ કર્યું છે

ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી અમિત શાહને ટિકિટ સ્વીકારી હોવાની સંમતિ આપી

ગોવિંદભાઈ આવતીકાલે ગુરુવારે ગાંધીનગર જશે અને રાજ્યસભાના સાંસદ તરીકે ફોર્મ ભરીને તેની ફોર્મલ પ્રોસેસ પૂરી કરશે

નારન બારૈયા – અમરેલી
માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં જેમની સેવાઓનો વ્યાપ વિસ્તરેલો છે અને સેવા જ જેમનો ધર્મ છે એવા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને હીરા ઉદ્યોગના સુરત સ્થિત આઈકોનિક સેવા ધર્મી બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયા ને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ટિકિટ આપવાનું પસંદ કરતા સુરત ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ આનંદ અને ગૌરવની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાર સેવા કર્મીઓને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ટિકિટ આપી છે. આજે સવારે લગભગ સાડા દસ વાગ્યા ના સુમારે ખુદ અમિત શાહે ફોન પર ભારતીય જનતા પાર્ટીની આપ પસંદગીનો કળશ ગોવિંદભાઈ ધોળકિયા ઉપર ઢોળ્યો હોવાની વાત કરી હતી. ગોવિંદભાઈ ધોળકિયાએ શરૂઆતમાં પોતે તો માત્ર સેવા ધર્મ બજાવી રહ્યા છે અને રાજકારણ પોતાનું કામ નહીં હોવાનો પ્રતિભાવ આપ્યો હતો પરંતુ અમિત શાહે પોતાનો આગ્રહ જારી રાખ્યો હતો ત્યારે તેમણે પરિવાર સાથે ચર્ચા કરીને જવાબ આપશે એવું જણાવ્યું હતું અને ત્યારબાદ અડધી કલાક બાદ તેમણે અમિત શાહને હા પાડી હતી. ગોવિંદભાઈ ના પારિવારિક સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોવિંદભાઈ આવતીકાલે
ગુરુવારે ગાંધીનગર જશે અને રાજ્યસભાના સાંસદ તરીકે ફોર્મ ભરીને તેની ફોર્મલ પ્રોસેસ પૂરી કરશે.




લાઠીમાં ગોવિંદભાઈની અનોખી અને અદભુત આરોગ્ય સેવા

ગોવિંદભાઈ ધોળકિયાની અનેક સામાજિક સેવાઓમાં મેડિકલ સેવાઓ અનોખી છે. તેમના દ્વારા તેમના વતન લાઠીમાં લાલજી દાદાનો વડલો એક અનોખું આરોગ્ય સેવા સ્થાન છે. અહીં ગરીબોને અનેક પ્રકારની આરોગ્ય સુવિધાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવા સંકુલમાં તેમની માતા સંતોકબેનના નામે સંતોકબા મેડિકલ સ્ટોર પણ છે. એમના પિતાજીના નામે ચાલતા લાલજી દાદાના વડલાના અંડરમાં રૂપિયા એક કરોડની રોકડ સાથેનો મેડિકલ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમ લાલજી દાદાના વડલાના કમિટી મેમ્બર અને રસોડા વિભાગ સંભાળતા કાળુભાઈ ભીકડીયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સેવા સંકુલમાં ભીમજી દાદા સ્નેહા અમૃત નામનું એક સદાવ્રત પણ ચાલે છે.




દુધાળામાં 350 ઘરને વિના મૂલ્ય સોલર લાઈટ ઉપલબ્ધ કરાવી

દૂધાળામા 350 ઘરને સોલાર લાઇટ પ્લેટ ઉપલબ્ધ કરાવી આપવાની એક અનોખી સેવા પણ ગોવિંદભાઈ ધોળકિયાએ કરી છે. તો ડાંગ જિલ્લામાં 300 થી વધુ હનુમાનજી મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય પણ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત નાગાલેન્ડમાં પણ શિવ મંદિરનું સર્જન કરવાનું ધર્મકાર્ય ગોવિંદભાઈ ધોળકિયાએ કર્યું છે.




અનોખી સ્કોલરશીપ – ગીતા કંઠસ્થ કરનાર છાત્રને અધ્યાય દીઠ 3000

સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે અને આવનારી પેઢી ધર્મને ભૂલે નહીં તે માટે ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા એક અનોખા પ્રકારની સ્કોલરશીપ યોજના ચલાવવામાં આવે છે. જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય કંઠસ્થ કરનાર વિદ્યાર્થીને અધ્યાય દીઠ રૂપિયા 3000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વિદ્યાર્થી એકથી વધુ અધ્યાય કંઠસ્થ કરે તો તેને તે પ્રમાણે શિષ્યવૃત્તિ ચૂકવાય છે. સાંસ્કૃતિક સેવાનું આ એક અનોખું ઉદાહરણ છે.




બાર ગામોમાં ગરીબોને વિના મૂલ્ય ઘરે ટિફિન પહોંચાડવાની સેવા

ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ચાલતી અનેક પ્રકારની સેવાઓમાં ગરીબ લોકોને વિનામૂલ્ય ટિફિન દ્વારા ભોજન પહોંચાડવાનું મહાકાર્ય પણ થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના બાર ગામોમાં 175 વ્યક્તિઓને દરરોજ ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ કોઈપણ પ્રકારની રૂકાવટ વગર નિમિત રીતે ગરીબોને ઉંચી ગુણવત્તા વાળું આરોગ્યપ્રદ ભોજન પહોંચી જાય છે.




ગોવિંદભાઈ ને ટિકિટ મળતા લાઠીમાં ઉત્સવનો માહોલ

લાઠી લાઠી ગામ અને સમગ્ર તાલુકામાં પોતાની સેવાનો અનોખો વ્યાપ ધરાવતા દુધાળા વતની ગોવિંદભાઈના ટિકિટ આપવાનું ભારતીય જનતા પાર્ટી એ પસંદ કરતા લાઠીમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો લાઠીના લોકોએ ફટાકડા ફોડીને તેમજ ઢોલ નગારા વગાડીને અને સામૈયું કરીને આ આનંદ ઉજવો હતો.



મારો તો ધર્મ જ લોકોની સેવાનો છે: ગોવિંદભાઈ ધોળકિયા

ભારતીય જનતા પાર્ટી વતી અમિત શાહે ફોન કરીને રાજ્યસભાની ટિકિટ તેમને આપવાના નિર્ણય અંગે વાત કર્યા પછી અને તેનો સ્વીકાર કર્યા પછી સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયાએ મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે મારો પ્રથમ ધર્મ લોકોની સેવાનો છે અને રાજકારણ એ મારું ધર્મ નથી પરંતુ જ્યારે રાજકારણ દ્વારા પણ આ સેવાનો વ્યાપ વધશે તેવી ખાતરી મળતા પોતે આ ટિકિટ સ્વીકારી છે.




ગોવિંદ કાકાને અમિત શાહ સાથે શું વાત થઈ?

ટિકિટ સ્વીકારતા પહેલા ફોન પર પ્રથમ તો ગોવિંદ કાકાએ અમિત શાહ ને એમ કહી દીધું હતું કે રાજકારણ એ મારું કામ નથી હું તો માત્ર સેવા કાર્ય કરું છું અને ચૂંટણી લડવું પણ મને પસંદ નથી. ત્યારે તેના જવાબમાં અમિતશાહે કહ્યું હતું કે રાજ્યસભા એ કોઈ રાજકારણ નથી અને તમારી ચૂંટણી લડવાની પણ નથી પરંતુ તમારી સેવાનો આનાથી વ્યાપ વધશે. ત્યારે આના જવાબમાં પોતાના પરિવાર સાથે ચર્ચા કરીને ગોવિંદ કાકાએ અમિત શાહને હકારાત્મક જવાબ આપ્યો હતો.

2 thoughts on “ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી

  1. બોક્સ ને અલગ પાડવા માટે લાઇન કરી છે તે બરોબર છે પરંતુ ફોટા એક સાથે નીચે ઢગલો કરી દીધો છે તેના બદલે દરેક બોક્સ સાથે એક એક અને મુખ્ય મેટર ની વચ્ચે અને એન્ડમાં મળીને ત્રણેક ફોટા આવે એ પ્રમાણે કરો કરી જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top