JAMNAGAR
કલ્યાણપુરમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવાનનો આપઘાત
જામ ખંભાંળિયાકલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રસ્તા બાબતના મનદુઃખનો ખાર રાખીને વાનાવડના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો
જામ ખંભાળિયાભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને…
અવસાન નોંધ : જામ ખંભાળિયા : સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ
જામ ખંભાળિયા સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી)ના પુત્ર વિવેક જોશી (JV) ઉ.વ. 37 તારીખ 19-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 20-01-2025 ના રોજ સાંજે 4.00 થી 4.30 ભાઈઓ તથા બહેનો માટે સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ મંદિરની બાજુમાં, નગર ગેઈટ, જામ…
ખંભાળિયા ઘરેલુ હિંસાથી રક્ષણના કેસમાં અરજદારની અરજી નામંજૂર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫
ખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ભાણવડમાં નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા: ખેલ મહાકુંભમાં ઝળક્યા હોનહાર વિદ્યાર્થીઓ
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામનગરમાં દીકરીના ઘર પાસે તોફાન કરી રહેલા અનોપસિંહ જાડેજાની ધરપકડ
દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ જામનગરજામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ…
મુંગણીનો યુવરાજ સિક્કા પોલીસને જોઈને 36 બોટલ મૂકી ફરાર
જામનગરસિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ…
