Saturday June 21, 2025

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી […]

વિંછીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીએ યોજાશે

રાજકોટગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત વિંછીયા તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયામાં મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત […]

નગર રચના યોજના નં-૨૦ નાના મવાની આખરી યોજના જાહેર કરાઈ

અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે રાજકોટરાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-૨ અધિકારીશ્રી દ્વારા નગર રચના યોજના નં-૨૦ નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૨૦ (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી […]

રાજકોટ જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા આદેશ

રાજકોટકોઈન બોક્સ, પબ્લિક એસ.ટી.ડી.-પી.સી.ઓ. બુથ પરથી રાજકોટ ગ્રામ્ય –જિલ્લામાં થતા વિવિધ ગુનાઈત કૃત્યો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે, રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા ફરમાન જારી કર્યું છે.જે મુજબ કોઈન કલેક્શન બોક્સ, એસ.ટી.ડી./પી.સી.ઓ. /આઈ.એસ.ડી. ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લિ. (ર) રિલાયન્સ […]

રાજકોટ જિલ્લામાં જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ ગ્રાહકોનું રજિસ્ટર નિભાવવા સૂચના

રાજકોટઆતંકવાદી કૃત્યો તેમજ ગુનાખોરીમાં જૂના ખરીદાયેલા અથવા તો ચોરાયેલા મોબાઈલનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમએ જૂના મોબાઈલ લે-વેચ અંગે ફરમાન જારી કર્યા છે.જે મુજબ, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ

રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજકોટ રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ […]

જળસંચય સાથે વૃક્ષારોપણ માટે શ્રી મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ

રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં આપશે માર્ગદર્શન મૂકેશ પંડિત, તંજાવુર તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. શ્રી મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ […]

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

Back to Top