
મૂકેશ પંડિત, ઊગામેડી
20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી નિમિતે ઉગામેડી ગામે ર. વિ. ગો. વિદ્યામંદિરમાં વિના મૂલ્યે ચકલી માળા વિતરણ થયું છે.
લાલજીભાઈ.પટેલ (ધર્મ નંદન ડાયમંડ -સુરત)ના આર્થિક સહયોગ થી 6000 ચકલી માળા નું વિતરણ વિના મૂલ્યે ઉગામેડી પંથકમાં થઈ રહ્યું છે.
ઉગામેડી ગામે શ્રી ર. વિ. ગો. વિદ્યામંદિરમાં
વિના મૂલ્યે ચકલી માળા વિતરણ ઉત્સાહ સાથે થયું છે.
આસપાસના ગામમાં પણ આ વિતરણ કરવામાં આવશે, જેમાં વિતરણ આર પી પટેલ (નિવૃત આચાર્ય-ઉગામેડી) તથા નવરંગ નેચર ક્લબ રાજકોટ ના શ્રી વી ડી બાલાના માર્ગદર્શન રહ્યું છે. પર્યાવરણ પ્રવૃતિમાં શ્રી દિલીપભાઈ ત્રિકમભાઈ મોરડિયા સુરતનો સહયોગ મળી રહ્યો છે.