Friday June 20, 2025

અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી

ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો

અમરેલી
એસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે અમરેલીના સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલો ને ઘ્યાને લઇ અમરેલીની સ્પેશિયલ એ.સી.બી. કોર્ટના જજ  આર.વી. બુખારીએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

કાનૂની સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ કેસની વિગતો એવી છે કે આ કેસના ફરીયાદી રસીકભાઈ પ્રેમજીભાઈ ગજેરાએ એ.સી.બી. કચે૨ીમાં એવી ફરીયાદ આપેલી કે તેમણે તેમના ગામમાં જીવાભાઈ પઠાણનું રહેણાંક મકાન તેમની પત્ની દક્ષાબેનના નામે ખરીદ કરેલ હોય જે મકાનમાં ઈલેક્ટ્રીક મીટર ટ્રાન્સફર કરાવવા માટે ગ્રામ પંચાયત ગોઢાવદ૨ કચેરીમાંથી આકારણી પત્રક તથા ઘરવેરા પહોંચ લેવા માટે દસ્તાવેજ કર્યા બાદ ગ્રામ પંચાયત કચેરીના તલાટી મંત્રી શૈલેષભાઈ ધીરજલાલ જોષીને આકારણી પત્રક અને ઘરવેરા પહોંચ કાઢી આપવા વાતચીત કરેલી તે વખતે જોષીએ કહેલ કે ગામતળની જગ્યા છે જેથી આકારણી પત્રક તથા પહોંચ જોઈતી હોય તો તમારે વ્યવહા૨માં સમજવુ પડશે. ત્યારબાદ જોષીએ અવાર નવાર મારી દુકાને આવતા હતા અને મારી પાસે પૈસા માગતા ત્યારે હું એવું કહેતો કે કામ પુર્ણ થઈ ગયે હું પૈસા આપીશ. ત્યારબાદ જોષી મારી પાસે આવેલા અને કહેલું કે આમ તો તમા૨ા કામના રૂપિયા ૧૦,૦૦૦ થાય પણ તમે જાણીતા છો એટલે રૂા. ૫૦૦૦ આપો. તો મે કહેલ કે આટલા બધા રૂપિયા મને નહીં પોસાય કંઈક ઓછુ કરો. છેલ્લે રકઝક કરીને રૂા. ૨૦૦૦ ની લાંચની રકમ મા૨ે મંત્રીને આપવાનું નકકી થયેલું અને તે ૨કમ ફ૨ીયાદી, મંત્રી જોષી ભાઈને આપવા માંગતા ન હોય જેથી આ કામના ફરીયાદી એ.સી.બી. ઓફીસે ફરીયાદ નોંધાવા માટે ગયેલા. ત્યારબાદ એ.સી.બી.ઓફીસે તેમની હકીકત સાંભળી અને સ૨કા૨ી પંચોને રેઈડ માટે બોલાવી અને ત્યારે ઓડીયો ટેપ રેકોર્ડર પણ રેકોર્ડીંગ ક૨વા માટે ફ૨ીયાદીને આપેલ હતું અને ત્યારબાદ આ કામના ફરીયાદી તથા એ.સી.બી.ના અધિકારીઓ, પંચો તથા સ્ટાફ બનાવના દિવસે રેઈડ પાડવા માટે ગોઢાવદર ગામે ૨સીકભાઈ પ્રેમજીભાઈ ગજેરાની દુકાને જઈને અગાઉથી રેઈડ માટે ગોઠવાઈ ગયેલા હતા અને તે સમયગાળા દરમિયાન આ કામના આરોપી શૈલેષભાઈ ધીરજભાઈ જોષી ફરીયાદીની દુકાને પહોંચતા ફરીયાદીએ તેને નકકી થયા મુજબની ૨કમ રૂા. ૧૫૦૦ ની આપેલી જે તેઓએ સ્વીકારીને તેમના ખીચામાં મુકેલી અને એ.સી.બી. સ્ટાફના અધિકારીએ આ કામના આરોપીને રૂા. ૧૫૦૦ ની લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપી લીધેલ હતા અને તેમનું ઓડીયો રેકોર્ડીંગ પણ લાંચની રકમ બાબતે જે ક૨વામાં આવેલું તે પણ કબ્જે લેવામાં આવેલ હતુ. આમ આરોપી સામે એ.સી.બી. કચેરી તરફથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭, ૧૩ વિગેરે મુજબનો ગુન્હો નોંધવામાં આવેલો હતો. ત્યારબાદ આ કામે એફ.એસ.એલ. ના રીપોર્ટ વિગેરે સાથે આરોપી સામે યોગ્ય મંજુરી મેળવ્યા બાદ ચાર્જશીટ કરવામાં આવેલ હતું અને ત્યારબાદ આ કામે અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટ સમક્ષ આ કેસ શરૂ થયેલ હતો. આ કામે કેસ શરૂ થતા સરકાર પક્ષે ફરીયાદીનો કેસ સાબીત ક૨વા માટે ઘણા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા, સમગ્ર કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ પુરતા પ્રયત્નો કરવા છતા સાબીત કરી શકેલ ન હોય આ કામના આરોપી શૈલેષભાઈ ધીરજભાઈ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટ ના સ્પે. જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી શૈલેષભાઈ ધી૨જભાઈ જોષી તર્ફે અમરેલીના સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદી રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top