ટાણા, જિ. ભાવનગર
ભટ્ટ હિરેનકુમાર (રાજુભાઈ) ભાસ્કરરાય ભટ્ટ, (ઉ.વ.૫૯) (ટેક્ષ કન્સલ્ટન્ટ) નો તા.૧૯–૦૧–૨૦૨૫નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભાસ્કરરાય હિરલાલ ભટ્ટ(એડવોકેટ) તથા ભાવનાબેન ભાસ્કરરાય ભટ્ટના પુત્ર તથા મોનાબેન હિરેનકુમાર ભટ્ટના પતિ, ઉત્સવી હર્ષકુમાર ચૈત્રિયા તથા નિનાદ હિરેનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા હર્ષ સંજયભાઈ શ્રોત્રિયા, રાયચુર(કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ તથા રેખાબેન મહેશચંદુ ભટ્ટ તથા સ્વ. ભાનુપ્રસાદ જેન્તીલાલ પંડયા તથા સ્વ. કનકબેન ભાનુપ્રસાદ પંડયાનાં ભત્રીજા તથા પરિમલ ભાનુપ્રસાદ પંડયા (જિલ્લા વિકાસ અધિકારી–અમરેલી), જયકુમાર ભટ્ટ (એગ્રોસેલ) ભાવેશ ભટ્ટ (બિલ્ડર) જયદિપ ભટ્ટ (જ્ઞાનમંજરી) કેતન ભટ્ટ (નિરમા)ના મોટાભાઈ તથા સ્વ.કૃષ્ણપ્રકાશ વજેશંકર દેરાસરી તથા સ્વ.જયંતિકાબેન કૃષ્ણપ્રકાશ દેરાસરીના જમાઈ તથા નીના જીજ્ઞેશકુમાર પંચોલી તથા કલ્યાણી પ્રકાશભાઈ ભટ્ટના બનેવી, સ્વ.બાલકૃષ્ણ રતિલાલ શુકલના ભાણેજ જમાઈ થાય છે. તેઓની પ્રાર્થના સભા તા.૨૩–૧–૨૦૨૫ને ગુરૂવારનાં રોજ બપોરના ૪-૦૦ થી ૬-૦૦ કલાકે અગ્રવાલ હોલ, સાગવાડી, જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ સ્કૂલવાળા ખાંચામાં કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે. લાકીક વહેવાર સદંતર બંધ છે.
