જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬
આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.
ભાણવડ તાલુકામાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે મોબાઈલ નંબર 95125 53434, 8140081143, 9512354683, 9723437022 ઉપર સંપર્ક કરવા તેમજ સવારે 9 પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.








(કુંજન રાડિયા)
