
ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના ડૉ. હરેશભાઈ નાવડીયા તથા સંજયભાઈ વાઢેરની નિમણુંક કરવામાં આવેલ. તે બદલ શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા તથા શહેર સંગઠનના હોદ્દેદારો આ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પહાર દ્વારા અભિનંદનસહ આવકારવામાં આવ્યાં હતા.
