Saturday June 21, 2025

કલ્યાણપુરમાં અકળ કારણોસર પરપ્રાંતિય યુવાને આપઘાત કર્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

       મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી, અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના 35 વર્ષના યુવાને શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક આસામીની વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મટુબેન બહાદુરભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top