
Advocate
Pratik Joshi
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર કરાય છે.
આ પ્રકરણમાં પ્રતિવાદી ખીમા અરજણ કદાવલા દવારા ગત તારીખ 10-06- 2022 ના રોજ ઉપરોક્ત ગાડામાર્ગવારો રસ્તો ખેડીને બંધ કરવામાં આવ્યો હોવાથી આ સંદર્ભે વાદી મનસુખ કરશનભાઈ કદાવલ દ્વારા નિયત સમયમર્યાદામાં કલ્યાણપુરના મામલતદાર સમક્ષ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ દાવા મરજી દાખલ કરવામાં આવી હતી.
જે મામલતદાર કોર્ટ એક્ટ કેશથી રજીસ્ટરે લઇ, દાવા અરજીને નામંજુર કરતો હુકમ કર્યો હતો. આ હુકમથી સામે વાદી દ્વારા દ્વારકાના નાયબ કલેકટર સમક્ષ રિવિઝન કેસથી રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેથી નાયબ કલેકટર દ્વારા આ કેસને રિમાન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી કલ્યાણપુરના મામલતદાર સમક્ષ રિમાન્ડ કેસ રજીસ્ટરે લઈ, ફરીથી ઉપરોક્ત જગ્યાના કેસના પ્રોસીડીંગ્સ ચલાવી, વાદી તરફે કાયદાની છણાવટ સાથે ધારદાર દલીલો તથા દલીલોના સમર્થનમાં સરકારી નોટિફિકેશન અને પરિપત્રો એડવોકેટ પ્રતિક એમ. જોષી દ્વારા રજુ કરવા, તથા સ્થાનીક જગ્યાએ સ્થળની ખરાઈ કરી, મામલતદાર દ્વારા વાદીનો દાવો અંશતઃ મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને પ્રતિવાદીએ વાદીની ખેતીની જમીનમાં આવવા-જવાના ગાડામાર્ગના રસ્તા દબાણ કરીને બંધ કર્યા છે, તેનો ખુલ્લો કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ રસ્તામાં પ્રતિવાદી જાતે કે તેમના નોકર-ચાકર કે એજન્ટ મારફતે આ હરકત, અડચણ અવરોધ ઊભો ન કરે તેવો મનાઈ હુકમ પણ કરાયો છે.
આ કેસમાં વાદી મનસુખભાઈ કરશનભાઈ કદાવલા તરફે ખંભાળિયાના વકીલ ફાલ્ગુની અમીત વ્યાસ તથા પ્રતિક એમ. જોષી રહ્યા હતા.
(કુંજન રાડિયા)