કુંજન રાડિયા, જામ ખંભાળિયા
કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ કણજારીયા સામે કલ્યાણપુરના મામલતદાર આર.એમ. સુવા દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોક્ત એક વીઘા જગ્યાની કિંમત આશરે રૂપિયા પાંચ લાખ જેટલી થતી હોવાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે લેન્ડ ગ્રેબિંગની જુદી જુદી કલમ તથા ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.