Saturday June 21, 2025

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીને ફડાકા ઝીંકીને ફરજમાં રૂકાવટ: મોબાઈલ ફોન તોડી નાખવા સબબની પણ ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

     ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા મહેશભાઈ જયંતીલાલ સોનગરા નામના 29 વર્ષના યુવાન અહીંના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મંગળવારે તેમની ફરજ પર હતા. ત્યારે નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના એક શખ્સએ તેમની પાસે આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી. આ પછી આરોપી નરેન્દ્રસિંહએ મહેશભાઈ સોનગરાને બિભત્સ ગાળો કાઢી, અને તેમને ગાલ પર ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખી, તેમાં પણ નુકસાની પહોંચાડી હતી.

        આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહેશભાઈ સોનગરાની ફરિયાદ પરથી આરોપી નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top