
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫
ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા તા. 6-7 ફેબ્રુઆરીએ જશે. જે બદલ તેમને શિક્ષણવિદો તેમજ સંસ્થા દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(ફોટો: કુંજન રાડિયા)