
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫
ખંભાળિયામાં આવેલી નાલંદા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ અન્ય પ્રસંગ અનેક કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ રજૂ કરી હતી.
આ સાથે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃત્તિઓ બદલ તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બાળકોને રોકડ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના આયોજન માટે ટ્રસ્ટીઓ મનીષાબેન મકવાણા, વિભાબેન દવે તેમજ આચાર્ય સુનિલભાઈ દવે સાથે તમામ સ્ટાફએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)