
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને જરૂરી સારવાર આપી અને નજીકમાં આવેલી અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)