
– –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫
ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અલૌકિક દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને બેઠકજીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________

