Saturday June 21, 2025

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫

       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે.

      સંસ્થાની આ કાયમી પ્રવૃત્તિના પ્રોજેક્ટ ચેરપર્સન અખિલેશભાઈ મોદી દ્વારા સુંદર રીતે આ તમામ બાબત અંગેનું સંચાલન કરવામાં આવે છે. ઉપરોક્ત ચીજ વસ્તુઓ મેળવવા અથવા પરત આપવા માટે અખિલેશભાઈ મોદી (મો. 92659 10848) પર સાંજે 6 થી 8 દરમિયાન સંપર્ક સાધવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે. 

       આ ચીજ વસ્તુઓ રાખવા માટે અહીંના રઘુવંશી દાતા સદગૃહસ્થ સચિનભાઈ દતાણી (કલ્યાણ વાળા) તરફથી રેડક્રોસ સંસ્થાને વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી છે. જે બદલ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા તથા તેમની ટીમ દ્વારા સચિનભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top