
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલ વિસ્તારમાં શિકાર અર્થે થઈ રહેલા દેવા ભીખુભાઈ વાઘેલા (રહે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, શાંતિ નિકેતન વાસ) ને પોલીસે પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)