
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫
ખંભાળિયાના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ પરિવારોની સેવાના આશય સાથે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે.
હાલ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિના પ્રારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ હિતેનભાઈ વિઠલાણી, સેક્રેટરી મનીષભાઈ પાબારી, અગ્રણી એડવોકેટ જયેશભાઈ નથવાણી, લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પ્રફુલભાઈ દાસાણી, કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ કુંડલીયા, પરેશભાઈ મોદી તેમજ અગ્રણી મનુભાઈ તન્ના વિગેરેએ ઉપસ્થિત રહી, દીપ પ્રાગટ્ય કરીને આ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા દરેક વર્ષે સખત ગરમીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારો માટે આ ઠંડી છાશનું વિતરણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જેનો લાભ વિશાળ સંખ્યામાં પરિવારો લાભ લઇ રહ્યા છે. આ સેવાકાર્ય માટે સ્થાનિક અને બહાર ગામના તથા વિદેશથી પણ જલારામ ભક્તોનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતો રહે છે.



(ફોટો:- કુંજન રાડિયા)