
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫
ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ગત તાજેતરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી ખુબ જ ભાવથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, વિગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં દાતા મનસુખભાઈ ઓધવજીભાઈ સુરેલીયા, ઓધવજીભાઈ જગજીવનભાઈ ભારદીયા તથા પ્રકાશભાઈ લવજીભાઈ સંચાણીયા રહ્યા હતા. આ મહોત્સવમાં જ્ઞાતિના દાતાઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ અમુભાઈ ભારદિયા (રવિ ટેકનો ફોર્જ – રાજકોટ) તથા જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને મહેમાનોએ સુંદર આયોજન તથા જ્ઞાતિના સંકુલની સુવિધાઓ અને સ્વચ્છતા માટે જ્ઞાતિના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વકર્મા જયંતી મહોત્સવમાં સ્થાનિક તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા સૌ કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ સમગ્ર મહોત્સવનું સુંદર સંચાલન જયંતીભાઈ સુરેલીયાએ કર્યું હતું.








(ફોટો:- કુંજન રાડિયા)