Saturday June 21, 2025

ખંભાળિયામાં રવિવારે સેવાકુંજ હવેલીના ઉપક્રમે રસીયાની રમઝટ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫

        ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલીના ઉપક્રમે પૂજ્ય ગોસ્વામી શ્રી માધવી વહુજી યશોદાનંદજી મહારાજશ્રીના સાનિધ્યમાં ચિ. ગોસ્વામી શ્રી વલ્લભનાથજી (નુપુરબાવા)ના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી રવિવાર તા. 23 ફેબ્રુઆરીના રોજ રસીયાનું આયોજન કરવામાં આવ્યું છે.

        અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુની ધર્મશાળા ખાતે રવિવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ રસીયા કાર્યક્રમમાં મુંબઈથી ગોપી મંડળની સખીઓ તથા બજાણાની કીર્તન મંડળી દ્વારા રસીયાની રમઝટ બોલાવવામાં આવશે. આ પ્રસંગે સર્વે વૈષ્ણવોને અલૌકિક પ્રસંગમાં સહભાગી થવા હવેલીના પૂજ્ય શ્રી માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top