
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫
ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા નગરપાલિકાની તાબા વિસ્તારના મિલકતધારકોને નગરપાલિકાના ચૂકવવા થતાં કરવેરામાં વેરા વસુલાતની ઝુંબેશના ભાગરૂપે જે મિલકતધારક દ્વારા પોતાની માલિકીની મિલકતનો વર્ષ 2024-25 નો કરવેરો ભરપાઈ કરી આપે, તે તમામ કરદાતાઓને નગરપાલિકા કચેરી દ્વારા ડસ્ટબીન (કચરાપેટી) ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
આથી શહેરી વિસ્તારના તમામ કરદાતાઓને પોતાની મિલકતોના કરવેરા ભરપાઈ કરી, સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા નગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(ફોટો:- કુંજન રાડિયા)