જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૫
ખંભાળિયામાં પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા જરૂરી સમારકામની કામગીરીને અનુલક્ષીને શનિવાર તારીખ 11 મી ના રોજ 11 કે.વી. નગર ગેઈટ અર્બન ફીડર હેઠળ આવતા નગર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, જોધપુર ગેઈટ, તાલુકા પંચાયત કચેરી, બી.એસ.એન.એલ. કચેરી, બંગલાવાડી, કલ્યાણબાગ, ગાયત્રીનગર, શિરુતળાવ, હરસિધ્ધિ નગર, તેમજ મિલન ચાર રસ્તા વિગેરે વિસ્તારોનો વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.