Saturday June 21, 2025

ખંભાળિયા કેનેડી બ્રિજના વૈકલ્પિક ડાયવર્ઝનની કામગીરી સંપન્ન: વાહન ચાલકોમાં રાહત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫

       ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આશરે સવા સદી જુના એવા કેનેડી બ્રિજ (ખામનાથ પુલ)ની જર્જરિત હાલતના કારણે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને આમ જનતા તેમજ વાહન ચાલકોના ઉપયોગ પર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. અહીંથી અવરજવર કરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તેમજ પોરબંદર, ભાણવડ આવતા-જતા વાહન ચાલકો, સ્થાનિક રહીશોમાં ભારે અગવડતા તેમજ હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

       ત્યારે થોડા સમય પૂર્વે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ ઈજનેર સહિતના સ્ટાફ દ્વારા ખામનાથ બ્રિજ નજીકના નદીના વહેણ પાસેથી સુવ્યવસ્થિત રીતે ડાયવર્ઝન (રસ્તો) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે તાજેતરમાં સંપન્ન થતાં આ વિસ્તારમાંથી અવરજવર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોએ રાહતનો દમ ખેંચ્યો છે. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top