જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫
ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)