Saturday June 21, 2025

ખડસલિયામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયેલ માતૃશક્તિ સંવાદ મિલન

હરેશ જોષી, ખડસલિયા

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિચાર્યું કે વાલી મીટીંગ તો બધા કરે છે ,પણ આપણે આ વખતે અનોખી વાલી મિટીંગ કરવી છે જેમાં વાલીમાં વિદ્યાર્થીઓના માતા જ મિટિંગમાં ફરજિયાત હાજર રહે કારણ કે ગુજરાતીમાં કહ્યું છે તેમ એક માતા 100 શિક્ષકની કર ગરક સારે છે .

એટલે કે માતાને જ ખબર હોય છે કે એનું બાળક શું કરે છે. એટલા માટે આજે સરકારી શાળા ખડસલિયામાં માતાઓની સંવાદ મીટીંગ યોજવામાં આવી .જેમાં માતાઓને પૂછવામાં આવ્યું કે તેના બાળક આખો દિવસ કઈ રીતે અભ્યાસ કરે છે., એ ઉપરાંત એને અભ્યાસ કરવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય એ શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું.. આ મિટિંગમાં માતાઓનો સારો સહકાર મળ્યો એમણે પણ એમના બાળકની દૈનિક ક્રિયાઓ દિલ ખોલી અને શિક્ષકો સામે મૂકી હતી અને ધોરણ 10 અને 12 ના પરિણામ સુધારવામાં માતાઓ પણ સહયોગ આપશે એવું વચન એમને આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top