પોરબંદર
ખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે સંબંધે તારીખઃ ૧૪-૫-૨૦૨૪ માં ખાણ ખનીજ વિભાગને અહેવાલ મોકલતા અને પોરબંદર તાલુકાના ખાંભોદર ગામના સીમ વિસ્તારમાં આરોપીઓ ૧. મેર સવદાસ ઓડેદરા ૨. પાર્થ મેરૂ ઓડેદરા ૩. સાજણભાઇ દેવાભાઇ મોઢવાડીયા દ્વારા ખનીજ ચોરી કરતા હોવાનુ જણાવી હીટાચી કંપનિનુ મશીન જેના નંબર જી. જે. ૨૫ એ. એ. ૪૯૪૦ નુ ખનીજ ચોરીના કામે મુદામાલ તરીકે જપ્ત કરેલુ હતુ. તે અન્વયે હીટાચી મશીન જેના નામનુ હતુ તે તેના માલીક સરમણભાઇ પરબતભાઇ મોઢવાડીયા દ્વારા આ હીટાચી મશીન વચગાળાના હુકમમાં છોડવા માટે કોર્ટમાં અરજી કરતા અને તે અનુસંધાને તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા વિગતવાર દલીલ કરતા જણાવેલ કે હીટાચી મશીનના માલીકે કોઇ ખનીજ ચોરી કરેલ નથી તેની સામે કોઇ ખનીજ ચોરીનો કેસ થયેલ નથી તે કોઇ આરોપી નથી અને તેઓએ માત્ર મશીન ભાડે આપેલુ હોય અને ભાડુ લઇ જનાર તેનો શું ઉપયોગ કરે તે માલીક તરીકે તેના ધ્યાનમાં ન હોય અને તે રીતે શુ હીટાચી મશીન ખુબ જ કિંમતી મશીન હોય અને જો લાંબો સમય પડયુ રહે તો કાટ લાગી જાય તેમ હોય અને મોટી નુકશાની જાય તેમ હોય અને તે રીતે માલીક તરીકે અમોને ખોટી નુકશાની જઇ રહેલ હોવાની વિગતવાર દલીલ કરતા અને તે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટની ઓથોરીટી રજુ ક૨તા નામ. એડી ડીસ્ટ્રીકટ જજ શ્રી પઠાણ સાહેબ દ્વારા રેકર્ડ ઉપરના ડોકયુમેન્ટ તથા એડવોકેટન દલીલ ઘ્યાને રાખી હીટાચી મશીનને શરતોને આધીન વચગાળાના હુકમ આધીન પરત સોંપવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી એડવોકે ભરતભાઇ લાખાણી તેમજ નૌધણભાઇ જાડેજા રોકાયેલા હતા.