
પોરબંદર
અમેરિકા અને ઇઝરાયેલને પણ પડકારો આપી રહેલું અને યુરેનિયમનો જથ્થો ભેગો કરીને અણુ બોમ્બ પણ બનાવવા જઈ રહેલું ઈરાન અને તેના આતંકવાદીઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારતના ગુજરાતના દરિયા કિનારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી સીમા સુરક્ષા એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં 31 હજાર કિલો એટલે કે લગભગ 1000 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓએ છ ઈરાની પેડલરોને પણ ઝડપી લીધા છે. મુદ્દામાલ અને આરોપીઓને પ્રથમ પોરબંદર લાવવામાં આવ્યા હતા અને હવે પછીની આગળની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રકરણનું પગેરું ક્યાં સુધી પહોંચે તેનું હજી નક્કી નથી ત્યારે આ પ્રકરણમાં હજુ પણ મોટા કડાકા ભડાકા થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈરાની બોટમાંથી 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇન અને 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા હતા. વેરાવળ સોમનાથના દરિયામાંથી 350 કરોડના ડ્રગ્સનો જંગી જતો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી ત્યારે તેના પગલે આટલો મોટો જથ્થો ઝડપાયો છે તે બાબત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે અને આ બાબત ઈરાનના આંતરરાષ્ટ્રીય કાવતરા તરફ પણ સંકેતો આપી રહી છે કારણ કે ઈરાન અત્યારે વિશ્વભરમાં ત્રાસવાદ વર્તાવવા માટે આર્થિક બળ પેદા કરવા માટે તેના ડ્રગ્સનો વેપાર કરવા જઈ રહ્યું છે અને અણુ બોમ્બ બનાવવા માટે વિવિધ તરકીબ અજમાવી રહ્યું છે. તેમજ અમેરિકાને પણ પડકાર આપવા માટે ગમે તે કરવા જઈ રહ્યું છે ત્યારે આ કાવતરાખોરી નું પગેરું ઈરાન તરફ અથવા તો ઈરાનના નામે પાકિસ્તાન પણ આ કૃત્ય કરવા જઈ રહ્યું હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. દરિયામાં સફળ સંકલિત ઓપરેશનમાં, ભારતીય નૌકાદળએ ડ્રગ્સની જપ્તી, જે જથ્થાની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી મોટી છે, તે એનસીબી સાથે ભારતીય નૌકાદળના મિશન-તૈનાત સંપત્તિના સહયોગી પ્રયાસો દ્વારા શક્ય બન્યું હતું. પકડાયેલી બોટ અને ક્રૂ સાથેનો પ્રતિબંધ ભારતીય બંદર પર કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. એજન્સીઓ આ પ્રકરણની તપાસ માટે વિવિધ તજજ્ઞોની મદદ લઈ રહી છે. આ પ્રકરણમાં હજુ અનેક રહસ્ય ખૂલવાની સંભાવના જોવા મળી રહી છે. પકડાયેલા પેડલરો ઈરાનના છે પરંતુ આ કાવતરાનું કનેક્શન પાકિસ્તાન સુધી પણ હોઈ શકે એવા પણ કેટલાક સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે ત્યારે પાકિસ્તાન પોતે જ ઈરાનના નામે નશીલા દ્રવ્યોનો આ જથ્થો ભારતમાં ઘુસાડવાનું કારસ્તાન પણ રચી શકે તેવી સંભાવનાને નકારી શકાય નહીં. એટલું જ નહીં આ જથ્થામાં તેના ઉદભવ સ્થાનથી લઈને પકડાયા સુધીની કહાની અને આ મુદ્દા માલ તે ભારતમાં કોને કઈ જગ્યાએ ડિલિવર કરવા જઈ રહ્યા હતા તે બાબત પણ મહત્વની માનવામાં આવી રહી છે અને તેના પગલે ભારત કે ગુજરાતના ઘર આંગણાના દ્રોહીઓ પણ ટૂંક સમયમાં પકડાવી શકે છે.
Nice 👍🏻