Saturday June 21, 2025

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ શિક્ષક એવોર્ડ” જાહેર


આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે
હરેશ જોષી, ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી પહોંચ્યો છે.દર વર્ષે ચાર શિક્ષક ભાઈ બહેનોને આ ક્રમમાં સન્માનિત કરવાનો ઉપક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષથી એક વધુ એવોર્ડ શિક્ષણ, સાહિત્ય, કલા માટે પદાર્પણ કરતા મહાનુભાવને આપવાનો નિર્ણય થયો છે. તેનું નામાભિધાન “ફોરમ લાઈફ ટાઈમ એવોર્ડ એચિવમેન્ટ એવોર્ડ “કરવામાં આવ્યું છે.
મંચ સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર યાદીમાં જણાવે છે કે ચાલુ વર્ષે પ્રારંભ થયેલો ફોરમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2025 જાડિયાણા પ્રાથમિક શાળાના ઉત્તમ શિક્ષક અને જાણીતા લોકસાહિત્યકાર શ્રી ભગવતદાન ગઢવીને એનાયત થશે.ફોરમ શિક્ષક એવોર્ડ- 2025 ના સંદર્ભમાં ચાલુ વર્ષે કુલ ચાર શિક્ષકોની પસંદગી જાહેર થઈ છે. તેમાં ખુલ્લા વિભાગમાંથી અમરેલીની અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા સુશ્રી દયાબેન સોજીત્રા મને પસંદ કરવામાં આવ્યા છે. આ સંસ્થા સાથે સંકળાયેલા સભ્યોને પુરસ્કૃત કરતા તેમાં અમીરગઢ શ્રી દુધાભાઈ પરમાર મુખ્ય શિક્ષક અમીરગઢ પ્રાથમિક શાળા જિ. બનાસકાંઠા ,શ્રી સંજયભાઈ આર પટેલ મુખ્ય શિક્ષક બાલાસાસન પ્રાથમિક શાળા જિ. મહેસાણા અને શ્રી વિમલભાઈ પટેલ મુખ્ય શિક્ષક ભાડજ પ્રાથમિક શાળા જિ. અમદાવાદની પસંદગી જાહેર કરવામાં આવી છે.
આ રીતે જાહેર થયેલા કુલ પાંચ શિક્ષક ભાઈ બહેનોને કેવડિયા કોલોની જિલ્લો નર્મદા ખાતે યોજાનાર સંગોષ્ઠિ-7ના કાર્યક્રમમાં તારીખ 30 માર્ચના રોજ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો અને વિશિષ્ટ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ફોરમ શિક્ષક એવોર્ડ સ્વ. ઉષાબેન બંસીલાલ ચાહવાલા -માંગરોળ તથા ફોરમ લાઈફ ટાઈમ એવોર્ડ સ્વ.પારસબેન જીતુભાઈ જોશી કુંઢેલીની સ્મૃતિમાં અર્પણ થઈ રહ્યો છે.
સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં ડો. મહેશભાઈ ઠાકર ભરૂચ, શામજીભાઈ દેસાઈ અમદાવાદ, શ્રી જીતુભાઈ જોશી કુંઢેલી, શ્રી શાંતિલાલભાઈ ભોઈ રાજપીપળા અને અન્ય જિલ્લા સંયોજકો અનન્ય યોગદાન આપી રહ્યા છે.નિર્ણાયક તરીકે દિપ્તીબેન જોશી, નયનાબેન સુથાર, પ્રદિપસિંહ, મિતેષભાઈ જેઠવા,અનુભાઈ રાતડિયાએ સેવાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top