જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો મળ્યો લાભ

મૂકેશ પંડિત, ઈશ્વરિયા
તીર્થસ્થાન જગન્નાથપુરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. શ્રી સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો.

ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ શ્રોતા ભાવિકો ઉત્સાહભેર જોડાયાં હતાં.

શ્રી સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા રવિવાર તા.૨૨થી શનિવાર તા.૨૮ દરમિયાન થયેલ આ ભાગવત કથા આયોજનનો અને દર્શન યાત્રાનો લાભ ભાવિકોને મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *