મૂકેશ પંડિત, જનડા



જનડા પ્રાથમિક શાળામાં તા -24/03/2025ના રોજ પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત સને 2024-25 માટે એન.જી.સી. ઈકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમોમાં ઈકો કબલને વધુ પ્રવૃત્તિસભર બનાવવા અને શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી એન.જી.સી. ઈકો ક્લબ ધરાવતી જનડા પ્રાથમિક શાળા માં School Biodiversity Register વિષય પર એક દિવસીય વર્ક શોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.વર્કશોપમાં જૈવ વિવિધતા, તેના મહત્વ અને પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વર્કશોપના મુખ્ય વિષયો:
- મિશન લાઈફ વિશે પૂર્વભૂમિકા:
“મિશન લાઈફ” અભિયાનનો પરિચય આપવામાં આવ્યો.
પર્યાવરણની રક્ષા માટે વ્યક્તિગત સ્તરે શું કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી.
સ્થિર વિકાસ માટે પ્રકૃતિમૈત્રી જીવનશૈલી અપનાવવાના ઉપાયો સમજાવવામાં આવ્યા. - જૈવ વિવિધતાને સમજીએ:
પ્રકૃતિમાં રહેલા પ્રાણીઓ, છોડ, અને વિવિધ જીવોની વિશાળતાની સમજ અપાઈ.
પ્રકૃતિનું સાતત્ય જાળવવામાં જૈવ વિવિધતાની ભૂમિકા મહત્વપૂર્ણ છે, તે સમજાવાયું.
સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જીવસૃષ્ટિનું વિજ્ઞાનિક મહત્વ ચર્ચવામાં આવ્યું. - જૈવ વિવિધતાના ફાયદા:
પર્યાવરણનું સંતુલન જાળવવામાં જૈવ વિવિધતાનો મહત્વનો ફાળો.
કૃષિ, ઔષધિઓ, આબોહવા નિયંત્રણ અને માનવ જીવન પર જૈવ વિવિધતાના સકારાત્મક પ્રભાવ.
સંસાધનોનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે જૈવ વિવિધતાનું મહત્વ.
વર્કશોપમાં તજજ્ઞ તરીકે બાબુભાઈ કળથીયા સાહેબ, આર.પી. પટેલ સાહેબ અને દિગ્વિજયસિંહ ચુડાસમા પધારેલા હતા. તેઓએ પોતાના અનુભવ અને વિશેષ જ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માહિતી આપી. વર્કશોપ ના અંતે 120 પ્રકારના બીજનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તથા બીજની માહિતી મેળવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રશ્નો પૂછીને તેમની જિજ્ઞાસા સંતોષી.
આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જૈવ વિવિધતાના મહત્ત્વ અંગે વધુ સમજ વિકસાવવામાં આવી. તેઓએ પોતાના રોજિંદા જીવનમાં પર્યાવરણ અનુકૂળ આચરણ અપનાવવાનો સંકલ્પ લીધો.આ વર્કશોપ નું આયોજન વિજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શાળા આચાર્ય તથા શાળા ના શિક્ષકગણ ખૂબ સારો સહયોગ આપેલો.