Saturday June 21, 2025

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫

       ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે.

      સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી માટે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પ્રેક્ટિસ કરી હતી. તે દરમિયાન ભારત દેશ સાથે સમગ્ર વિશ્વમાં દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, તેવા કપરા સમયની ઈમરજન્સીમાં ડો . સ્નેહ સતત સેવારત રહ્યા હતા. જે બદલ સરકાર દ્વારા તેમને ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

        ત્યાર બાદ ડો. સ્નેહ સોનૈયા અમેરીકાની સુપ્રસિધ્ધ જોન્સ હોપકિશ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહેલ છે. ગ્રેસ્ટ્રોલોજીમાં સુપર સ્પેશિયાલીસ્ટનો આગળ અભ્યાસ કરી રહ્યા છે.

        ગુજરાતમાં તેમજ અમેરિકામાં પણ મોટી સંખ્યામાં નિષ્ણાંત તબીબોનું વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા ડો. સ્નેહ સોનૈયાને ડો.અનિશ ચંદારાણા (અમદાવાદ),ડો. ગુંજન જોશી, ડો. શિલ્પાબેન ઠકકર તથા રાજેશ ઠકકર, ડો. રાજેશ બરછા, ડો. રૂતેશ જોશી, ડો. નિસર્ગ રાણીગા તેમજ અગ્રણી બિલ્ડર કમલેશભાઈ વિઠલાણી સાથે રઘુવંશી સમાજના આગેવાનોએ ડો. સ્નેહને શુભેચ્છાઓ પાઠવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top