ભાવનગર
સૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ગામે ખેડુત નેતા અને કોગ્રેસ પક્ષના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઇ આબંલીયા દ્વારા આયોજીત સત્યાગ્રહ ખેડુત સંમેલનમાં હાજરી આપવા ખેડૂતો ભાવભર્યું આમંત્રણ છે. તેમણે જણાવ્યું કે સરકારની નીતિઓ ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વર્ષો જૂના અન્યાયોને ન્યાય મળતો નથી ત્યારે દરેક ખેડૂતે આ સંમેલનમાં હાજરી આપવી જરૂરી છે.