
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫
ખંભાળિયાના રઘુવંશી અગ્રણી અને રાજકીય આગેવાન મોટાણી પરિવાર દ્વારા આજરોજ ખાસ આયોજન સંદર્ભે ડાકોર ખાતે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવામાં આવ્યું હતું.
ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી પરિવાર દ્વારા આજરોજ આણંદ ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમ સાથે ડાકોર સ્થિત કૃષ્ણ મંદિર ખાતે જઈને શીશ ઝુકાવવામાં આવ્યું હતું.
સાથે પારિવારિક સંબંધ ધરાવતા નમ્ર ટીલવા ઉપરાંત જતીનભાઈ કુંડલીયા, હિતેશભાઈ ગોકાણી, રાજુભાઈ વ્યાસ, સંદીપભાઈ જટણીયા, વિગેરે પણ સાથે જોડાઈને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

(ફોટો: કુંજન રાડિયા)