Friday June 20, 2025

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

‘માનસ હરિભજન’ લાભ લેતાં ભાવિક શ્રોતાઓ

તંજાવુર સોમવાર તા.૨૩-૧૨-૨૦૨૪
(મૂકેશ પંડિત)

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા ‘માનસ હરિભજન’ લાભ લઈ રહ્યાં છે.

દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે.

તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ ચોપાઈ ‘ઉમા કહુઉં મૈ અનુભવ અપના, સત હરિ ભજનુ જગત સબ સપના. નિજ અનુભવ અબ કહઉં ખગેસા, બિનુ હરિ ભજન ન જાહિં કલેસા.’ કેન્દ્ર સ્થાને ચિંતન અને મનન તેમજ શાસ્ત્ર અને સમાજ સાથે સાંપ્રત ભાવનાં ભજનબોધ રૂપે ‘માનસ હરિભજન’ લાભ સૌ ભાવિક શ્રોતા ભાવિકો લઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top