Saturday June 21, 2025

તા.19 ના રોજ રેડક્રોસ સોસાયટી અને લોઢાવાળા હોસ્પિટલ દ્વારા મોતિયો નિદાન કેમ્પ યોજાશે

દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવામાં આવશે

ભાવનગર
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ પ્રતાપ રાય શામજીભાઈ પારેખ પોલિકલીનીક અને રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા મોતિયો નેત્રયજ્ઞ નું આયોજન તા.19 ને રવિવારે સવારે 10.30 થી રેડક્રોસ ભવન દીવાનપરા રોડ, ભાવનગર ખાતે યોજાશે.જેમાં મિતિયો અંગે ની તપાસ કરી જરૂરીયાતમંદ દર્દીને વિનામૂલ્યે મોતિયો ના ઓપરેશન કરી આપવા માં આવશે તપાસ માટે વહેલા તે પહેલાં ના ધોરણે દર્દીઓ ની તપાસ કરવા માં આવશે.
કેમ્પ માં જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર અને લોઢાવાળા હોસ્પિટલ ના સહયોગ થી ડો.ધ્રુવિલભાઈ નાયક વિનામૂલ્યે આંખ તપાસ કરી આપશે તથા ઓપરેશન જરૂરત વાળા ને લોઢા વાળા હોસ્પિટલ પથિકાશ્રમ પાસે ગંગાજળિયા તળાવ ભાવનગર ખાતે અદ્યતન ફેકો મશીન દ્વારા ટાંકા વગર ના મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top