Friday June 20, 2025

દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૫

       દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

         આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ માંડણભા માણેકની 8 વર્ષની પુત્રીને તેમણે પેપર દેવા જવાનું કહેતા તે પેપર દેવા જતી ન હતી. આ બાબતે માંડણભાને તેમના પત્ની સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે તેમને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ઘરમાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેમને સૌપ્રથમ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગત તારીખ 26 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

____________________________________________________________________________

દ્વારકાના હોમ સ્ટે સંચાલકો સામે કાર્યવાહી

       દ્વારકામાં જૂની ગૌશાળા પાસે એક હોમ સ્ટેના સંચાલક આલાભાઈ સીદાભાઈ નાજાણી અને જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલા કાના ભવન હોમ સ્ટેના સંચાલક બાબુભાઈ નકાભાઈ રબારી દ્વારા અહીં આવતા મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં ન કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ઉપરોક્ત બંને આસામીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધાયો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top