Friday June 20, 2025

દીનુ બોઘાના દબાણો દૂર કરનાર ગીર-સોમનાથના બાહોશ જીલ્લા કલેકટર દિગ્વિજય જાડેજાની ગાંધીનગર બદલી: રાજ્યના અન્ય 17 આઈએએસ અધિકારીઓની પણ બદલી

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી અને ગાંધીનગરથી મુખ્યમંત્રીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એચ પી પટેલ જુનાગઢ ડીડીઓ તરીકે આવશે

ગાંધીનગર
રાજ્યના 18 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે તેમાં ખનીજ માફિયાઓ અને દબાણ માફિયાઓ સામે હિમ્મતપૂર્વક કાર્યવાહી કરનાર ગીર-સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર બદલી થઈ છે. ડિમોલેશનની કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા હતા. દિનુ બોઘાની દાદાગીરી ની સામે સરેન્ડર નહીં થનાર એક બહોશ અધિકારીને સરકારે ઇધર ઉધર કરી નાખ્યા છે. ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં તેમની બદલી થઈ છે. તે સામે ગાંધીનગરથી એન.વી ઉપાધ્યાયની ગીર સોમનાથ કલેકટર તરીકે બદલી થઈ છે. બદલીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. તેઓ લોકપ્રિય કલેક્ટર દિગ્વિજય જાડેજાની કાર્યવાહીને આગળ વધારશે કે કેમ તે અંગે પણ લોકોમાં સવાલો પૂછાઇ રહ્યા છે.

ગાંધીનગર સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જે આઈ એ એસ અધિકારીઓની બદલી થઈ છે તેમાં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવણને ગાંધીનગર ખાતે એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વિભાગના ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને મુખ્યમંત્રીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એચપી પટેલને જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

આ સિવાય ગાંધીનગર મહેસાણા, નર્મદા, અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ વગેરે જિલ્લાના જે તે પોસ્ટના આઈએએસ અધિકારીઓને અલગ અલગ જગ્યાઓ પર બદલી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top