Saturday June 21, 2025

દેવભૂમિ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે “આપ” દ્વારા નવતર વિરોધ

ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા… રામધૂન બોલાવી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટ બાબતે "આપ" દ્વારા ફંડ ઉઘરાવીને, શિક્ષાબેનની શોકસભા અને રામધૂન બોલીને તંત્રને આવેદનપત્ર પાઠવીને નવતર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની નોંધપાત્ર ઘટ હોવાના કારણે પ્રાથમિક શિક્ષણ જાણે ખાડે ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મુખ્ય કારણ શિક્ષકોની ઘટ હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 896 શિક્ષકો અને ધોરણ 6 થી 8 માં 313 શિક્ષકોની ઘટ હોવાનું ધ્યાન આવ્યું છે. આ શિક્ષકોની ઓછી સંખ્યાના કારણે બાળકોના ભવિષ્ય અમે સવાલો ખડા થયા છે. આગળ જતા આ બાળકોને ગણિત, વિજ્ઞાન, અને અંગ્રેજી જેવા વિષયોમાં કઈ રીતે આગળ વધશે એવા સવાલો વચ્ચે જિલ્લામાં શિક્ષકોની ઘટ નો મુદ્દો ગંભીર અને ઘણા સમયથી છે.
   આથી આગામી સમયમાં શિક્ષકોની નિયત કરતા ખૂબ ઓછી સંખ્યાની પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા અહીંના જિલ્લા શિક્ષણ અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય શિક્ષકોની તાકીદે નિમણુંક કરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તેવી ચીમકી આપવામાં આવી હતી.
     આ અંગે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા નગર ગેઈટની આજુબાજુ વિસ્તાર માં શિક્ષણ ફંડ ઉઘરાવવામાં આવ્યું અને પ્રતિકાત્મક રીતે શિક્ષાબહેનનું ઉઠમણું રાખવામાં આવ્યું હતુ અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ મહત્વના મુદ્દે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top