– તા. 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે –
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫
ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ 2025-26 ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., 8 પાસ અને 17.5 થી 21 વર્ષની ઉમર ધરવતા અપરણિત ઉમેવારોએ http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા.14 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારો પ્રથમ લેખિત પરીક્ષામાં બેસી શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ અથવા આર્મી ભરતી કાર્યાલય, જામનગર કે જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકાનો રૂબરૂ સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકાની યાદી જિલ્લા રોજગાર કચેરીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)