જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫
દ્વારકાના કકલાસ કુંડ નજીક આવેલા શ્રી રાંદલ ધામ ખાતે આગામી તા. બીજી માર્ચ ને રવિવારના રોજ રાંદલ માતાજીના સમૂહ લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં અત્યાર સુધીમાં 90 જેટલા રાંદલ લોટા તેડવાના યજમાનોના નામ નોંધાઈ ચુકયા છે.
રાંદલ માતાજીના લોટા તેડવાના કાર્યક્રમમાં માતાજીનું પૂજન, કુંવારિકા ભોજન મહાઆરતી, દાંડીયા રાસ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધર્મોત્સવ અંતર્ગત રાંદલ ધામ મંદિર પરિસરને સુંદર લાઈટીંગ- ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે. રાંદલ માતાજીના બે લોટા તેડવાનો ખર્ચ રૂા. 2,100 રહેશે. જે માટેના નામ નોંધાવવાની છેલ્લી તા. 28 ફેબ્રુઆરી છે.
આ તમામ આયોજન માટે આયોજક શ્રી સૂર્યનારાયણ દેવ તથા શ્રી સત્યનારાયણ દેવ રહેશે. આ ધર્મોત્સવમાં વધુમાં વધુ માઈભકતો જોડાય તે માટે જાહેર અનુરોધ કરાયો છે.

(ફોટો:- કુંજન રાડિયા)