જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫
અમદાવાદ ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા બ્લુ ફ્લેગ પુરસ્કાર સમારોહ તથા સસ્ટેઈનેબલ ટુરીઝમ અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સસ્ટેઈનેબલ ટુરીઝમ અને હોસ્પીટાલીટી બાબતે ચર્ચા સાથે આ કાર્યક્રમમાં દ્વારકાના શિવરાજપુર બીચને વર્ષ 2024 - 25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચ સર્ટીફીકેશન જાળવી રાખવામાં સફળતા મળી છે.
આ સર્ટિફિકેટથી દ્વારકાવાસીઓ તથા શિવરાજપુર બીચ પર આવતા સહેલાણીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.
(ફોટો:- કુંજન રાડિયા)
