જામ ખંભાળિયા
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા શબીરભાઈ જુસબભાઈ પટેલિયા નામના માછીમાર યુવાન તેમના પત્ની રહેમતબેનને સાથે લઈને તેમના જીજે 25 એબી 5996 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક જયંતીભાઈ ઘેલાભાઈ ચાનપા (રહે. વરવાળા)એ ફરિયાદી શબીરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેઓને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે શબીરભાઈ પટેલીયાની ફરિયાદ પરથી વરવાળા ગામના જયંતીભાઈ ચાનપા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.