ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ
નારન બારૈયા, નવારતનપર
“નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા
ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં વધુ એક યશ કલગી સમાન એવા વાડી વિસ્તાર જલ સેવા યોજનાના કાર્યનો આજથી નવા રતનપરમાં પ્રારંભ થયો હતો. ભાવનગર તાલુકાના આ વિસ્તારમાં કંઠાળ વિસ્તારમાં નવા રતનપર એવું પ્રથમ ગામ છે કે જેની ગ્રામ પંચાયત વાડી વિસ્તારના લોકોને પણ નર્મદાના નીરની સુવિધા આપે છે.
સ્થળ પરથી જાણવા મળતી વિગતો અનુસાર નવારતનપર ગામમાં આજે વહેલી સવારથી જળ સુવિધાના કાર્યનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું. એકદમ જેટ ગતિથી આ કાર્ય નો પ્રારંભ થયો છે અને એ જ ગતિથી કાર્ય આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસોમાં પૂરું કરી નાખવાની પંચાયતની નેમ છે ત્યારે આજે સવારથી જ નવારતનપર ગામ તળથી ગામના કાઠી વિસ્તાર એટલે કે નવા રતનપર દરિયા કિનારા સુધીના વિસ્તારમાં અર્થ મુવર ટ્રેક્ટર અને કામદારોનો કોલ હાલ સતત જોવા મળ્યો હતો. સરપંચ જગદીશ બારૈયાએ અને આગેવાન ઝવેરભાઈ બારૈયા સહિતના અગ્રણીઓએ તેમજ ગામના વોટરમેન ઝવેર બારૈયા સહિતના લોકો સતત દોડધામમાં જોવા મળ્યા હતા. સરપંચ જગદીશ બારૈયા એ પોતે જ સમગ્ર કાર્ય ઉપર પોતાની ચાપતી નજર સાથે મોનિટરિંગ કર્યું હતું અને જરૂર પડ્યે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નવારતનપર ગામની ઉગમણી સીમમાં દરિયાકાંઠાના વિસ્તારના લોકોને પીવાના પાણીની અગવડ હતી અને તેમને ગામના કૃષ્ણપરા ચોકડી વિસ્તારથી આગળના ભાગે નર્મદાના પાણીની સુવિધા પ્રાપ્ત થતી ન હતી. લોકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરપંચ જગદીશ બારૈયાએ લાગુ પડતી યોજના નો ઉપયોગ કરીને આ જળ સુવિધા લોકોને ઝડપથી પ્રાપ્ત થાય તે દિશામાં કાર્યવાહી કરી અને કરાવી હતી.
ત્રણ લાખના ખર્ચે કામ થશે ત્રણ દિવસમાં પૂરું થશે: સરપંચ જગદીશ બારૈયા
“ધ ગ્રેટ વર્લ્ડ” સાથેની વાતચીતમાં સરપંચ જગદીશ બારૈયાએ જણાવ્યું કે ગામના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલી વાડીઓમાં લોકોને નર્મદાના શુદ્ધ જળની સુવિધા અત્યાર સુધી મળતી નહોતી તે હવે મળશે કાર્યનો પ્રારંભ આજે જ થયો છે અને ત્રણ લાખના ખર્ચે થનારું આ કાર્ય લગભગ ત્રણ જ દિવસમાં પૂર્ણ કરવાની પંચાયતની નેમ છે.
જગદીશ બારૈયા, સરપંચ, નવા રતનપર





