
ભાવનગર
૧-૩-૨૦૨૫ અને શનિવારના રોજ ભાવનગર નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રી સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ જોશીનું ૭૭ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થતા ભાવનગર શહેરના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સિંધુનગર સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અગ્નિસંસ્કારમાં શહેરના બ્રહ્મસમાજ સહિત સર્વપક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. મીનાબેન જોશીનું બેસણું તા. ૩-૩-૨૦૨૫ અને સોમવારના રોજ ડોન ચોક પાસે ઓમ પ્લાઝા ખાતે સાંજના ૪-૩૦ થી ૬-૩૦ કલાકે રાખવામાં આવેલ છે.