
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.
આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી, તેના વિરોધમાં સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ અમિતભાઈ જાદવાણી, શહેર મંત્રી મનિષભાઈ જેઠવા, કિરણબેન સરપદડીયા, વિજયભાઈ કટારીયા, બજરંગદળના કાર્યકર કિશન ગોહેલ, શક્તિ ગઢવી, કિશન રુડાચ, શૈલેષ મકવાણા, ધીરુભાઇ ટાકોદરા, મિલનભાઈ કિરતસાતા, ઈન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, દીપકભાઈ ચાવડા, નીતિનભાઈ પીઠીયા, જીતુભાઈ ગઢવી સહીતના કાર્યકરો જોડાયા હતા.



(ફોટો:- કુંજન રાડિયા)