પોરબંદર
પોરબંદરમાં છાયા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામના એક 28 વર્ષે યુવકે પોતાના ગળે લુગડાની ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો છે. બનાવનું કારણ હજી જાણવા મળ્યું નથી.
ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.વ.૨૮ રહે.પોરબંદર છાંયા સદામ સોસાયટી) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે લુગડાની ચુંદડીથી લોખંડના પાઇપ સાથે બાંધીને ગળા ફાસો ખાઇ જતા મરણ ગયા છે. ૧૦/૧૨/૨૦૨૪ના ૮/૦૦ પહેલા કોઇ પણ વખતે છાંયા સદામ સોસાયટી મરણ જનારના ઘરે બનેલી આ ઘટના અંગે એ જ દિવસે ૧૨\૧૫ કલાકે સર ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર વ્યાસે પોલીસને જાણ કરતા કમલાબાગ પીએસઆઇ એમ એલ સોલંકીએ તપાસ હાથ ધરી છે.